• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા

ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા

09:18 PM September 09, 2025 Gujju News Channel Share on WhatsApp

CP Radhakrishnan : ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને જીત મેળવી. સીપી રાધાકૃષ્ણનને 452 મત મળ્યા હતા, જ્યારે ઇન્ડિયા બ્લોકના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા



Vice President Election Results Updates : સીપી રાધાકૃષ્ણન ભારતના આગામી ઉપરાષ્ટ્રપતિ બનશે. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને જીત મેળવી છે. આ ચૂંટણીમાં કુલ 767 સાંસદોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતગણતરી દરમિયાન 752 મત માન્ય અને 15 મત અમાન્ય જાહેર કરવામાં આવ્યા હતા. સીપી રાધાકૃષ્ણનને 452 મત મળ્યા હતા, જ્યારે ઇન્ડિયા બ્લોકના ઉમેદવાર બી સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા હતા. DA એ લગભગ બે-ચતુર્થાંશ બહુમતી હાંસલ કરી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ દાવો કર્યો હતો કે 14 સાંસદોએ ક્રોસ-વોટિંગ કર્યું છે. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધને પડકાર આપ્યો હતો પરંતુ તેમની સંખ્યા NDA કરતા ઓછી હતી. આ ચૂંટણી જીતવા માટે 392 મતોની જરૂર હતી, જે NDA ઉમેદવારે સરળતાથી મેળવી લીધા છે. વિરોધી પક્ષો તરફથી મળેલા 14 મત NDA માટે મોટી સફળતા છે.


► કોણ છે સીપી રાધાકૃષ્ણન


સીપી રાધાકૃષ્ણન હાલમાં મહારાષ્ટ્રના 24મા રાજ્યપાલ છે. તેમણે 31 જુલાઈ 2024 ના રોજ મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા. તેઓ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના વરિષ્ઠ નેતા છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ બનતા પહેલા તેઓ ઝારખંડના રાજ્યપાલ હતા. તેમણે 18 ફેબ્રુઆરી 2023 થી 30 જુલાઈ 2024 સુધી આ પદ સંભાળ્યું હતું. માર્ચ 2024 થી જુલાઈ 2024 સુધી તેમણે તેલંગાણાના રાજ્યપાલ અને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નરનો વધારાનો કાર્યભાર પણ સંભાળ્યો હતો.


► RSS માં જોડાઈને રાજકારણમાં આવ્યા


સીપી રાધાકૃષ્ણનનો જન્મ 20 ઓક્ટોબર 1957 ના રોજ તમિલનાડુના તિરુપુરમાં થયો હતો. તેમણે VO ચિદમ્બરમ કોલેજમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં સ્નાતક થયા છે. 16 વર્ષની ઉંમરે સીપી રાધાકૃષ્ણન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને જનસંઘના સભ્ય બન્યા હતા. તેમણે 1998 અને 1999 માં તમિલનાડુના કોઈમ્બતુરથી લોકસભા ચૂંટણી લડી અને સાંસદ બન્યા હતા.


સીપી રાધાકૃષ્ણન 2004 થી 2007 સુધી તમિલનાડુ ભાજપના રાજ્ય અધ્યક્ષ પણ હતા. તેમણે 2004 માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી હતી. તેમણે તાઇવાનની પ્રથમ સંસદીય પ્રતિનિધિમંડળની મુલાકાતમાં પણ ભાગ લીધો હતો. વર્ષ 2016 થી 2020 સુધી સીપી રાધાકૃષ્ણન કોચીના કોઈર બોર્ડના અધ્યક્ષ હતા. વર્ષ 2020 થી 2022 સુધી સીપી રાધાકૃષ્ણન કેરળ માટે ભાજપના અખિલ ભારતીય પ્રભારી હતા.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Vice President Election Results Updates - C P Radhakrushnan Vice President Of India - કોણ છે સીપી રાધાકૃષ્ણન



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gen Z પ્રદર્શનકારી 73 વર્ષીય સુશીલા કાર્કીને બનાવવા માંગે છે નેપાળના અંતરિમ લીડર? જાણો કોણ છે

  • 10-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 11 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 10-09-2025
    • Gujju News Channel
  • ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સી.પી. રાધાક્રિષ્નન, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુદર્શન રેડ્ડીને 152 વોટથી હરાવ્યા
    • 09-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-09-2025
    • Gujju News Channel
  • Navratri 2025: આસો નવરાત્રિ ક્યારથી થાય છે શરૂ, જાણો કળશ સ્થાપનની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
    • 08-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 9 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 08-09-2025
    • Gujju News Channel
  • Amreli : મજૂરી ખેડૂતોની, નફો વેપારીઓને ! બજારમાં રૂ.50-60ના ડઝન વેચાતા કેળા સામે ખેડૂતોને મળ્યો ફક્ત 1 રૂ.કિલોનો ભાવ...
    • 07-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 8 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-09-2025
    • Gujju News Channel
  • Gujarat Weather: આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કર્યું
    • 07-09-2025
    • Gujju News Channel
  • યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના, રોપ વે તૂટી પડતા 6 લોકોના મોત
    • 06-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us